BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
240 કિમીની ઝડપે ત્રાટકેલું એ વાવાઝોડું જેમાં એક જ રાતમાં 1.40 લાખ લોકોએ જીવ ખોયા
બાંગ્લાદેશના ચટગાંવના કોક્સ બજાર દરિયાકાંઠાના લોકો માટે 29 એપ્રિલ, 1991ની રાત ભયાનક હતી. એક શક્તિશાળી વાવાઝોડું મધરાતે લગભગ 12 વાગ્યે 240 કિલોમીટર પ્રતિ કલાક હવાની ગતિ અને લગભગ 20 ફીટ ઉંચા મોંજાં સાથે તટ પર ત્રાટક્યું હતું.
દાહોદ : 'બોગસ મતદાન' કરીને લાઇવ કર્યું હતું ત્યાં ફરીથી મતદાન થશે
પોલીસે વિજય ભાભોર અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વના ધારાની કલમોના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના બન્ને પ્રવાહોનું પરિણામ એક સાથે જાહેર કર્યું છે. બોર્ડના પરણીનામની વધુ જાણકારી માટે વાંચો બીબીસીનો આ લેખ.
સીરમ ઇન્સ્ટિટ્યૂટે કહ્યું- ડિસેમ્બર 2021માં જ કોવિશિલ્ડ રસી બનાવવાનું બંધ કરી દીધું
દિવસ દરમિયાન ગુજરાત અને દેશ-વિદેશના સમાચાર જાણવા માટે આ પેજ પર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
ગુજરાત : લોકસભાની ચૂંટણીમાં થયેલું ઓછું મતદાન કોને નુકસાન કરશે?
પ્રથમ બે તબક્કાની જેમ ત્રીજા તબક્કા દરમિયાન પણ અગાઉની સરખામણીએ મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો હતો. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે, ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે, જેમાં સામાન્ય ઉમેરો થઈ શકે છે.
અંધશ્રદ્ધા સામે લડનારા કર્મશીલ ડૉ. દાભોલકરની હત્યાનાં 11 વર્ષ બાદ ચુકાદો આવશે, શું હતો સમગ્ર મામલો?
મહારાષ્ટ્રના પૂણેમાં 11 વર્ષ પહેલાં 2013ની 20 ઑગસ્ટે બનેલી એક આઘાતજનક ઘટનાથી સમગ્ર દેશને આંચકો લાગ્યો હતો. મહારાષ્ટ્રમાં રેશનલિસ્ટ ચળવળના અગ્રણી કાર્યકર અને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક ડૉ. નરેન્દ્ર દાભોલકરની પૂણેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એ ઘટનાના 11 વર્ષ પછી હવે 10 મેના રોજ આ કેસનો ચુકાદો આવશે.
ઓનલાઇન પ્રેમ : જ્યારે એક પુરુષે પ્રેમના બહાને ચાર મહિલાઓના 80 લાખ રૂપિયા લૂંટી લીધા
પસંદગીના મિત્ર, કે પ્રેમી ઓનલાઇન ડેટિંગ ઍપથી શોધવા કે ગમતા સાથી ઓનલાઇન મળી જાય એ વાત હવે કોઈ નવી નથી રહી. જોકે, એ વાત ચોક્કસ નવી છે કે ઓનલાઇન પ્રેમી કે સાથીદાર શોધવા જતાં ખાસ કરીને મહિલાઓને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે. આવું જ થયું છે ટિન્ડર પર. વાંચો આખી કહાણી...
વીડિયો, ગુજરાતી દાળમાં પડતું કોકમ શું છે અને એ ક્યાંથી આવ્યું?અવધિ, 4,30
ગુજરાતી ખાટીમીઠ્ઠી દાળ પણ કોકમ વગર અધૂરી છે. ઉત્તમ ચટાકેદાર સ્વાદ ઉપરાંત કોકમનું શરબત રિહાઇડ્રેટિંગના ગુણધર્મ પણ ધરાવે છે.
ગુજરાતનાં આ સાત ગામોએ મતદાનનો બહિષ્કાર કેમ કર્યો?
ભરૂચ જિલ્લાના કેસર ઉપરાંત સુરતનું સણધરા અને બનાસકાંઠાના ભાકરી ગામમાં મતદાતાઓએ એક પણ વોટ નાખ્યો નહીં. જ્યારે જૂનાગઢ જિલ્લાના ભાટગામ, ભાવનગરના રાબરિકા, મહિસાગરનાં બોડોલી અને કૂંજારામાં પીવાના પાણીની અછતથી માંડીને પાકા રસ્તાઓના અભાવ અને અન્ય મુશ્કેલીઓનાં કારણોને આગળ ધરીને મતદાતાઓએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
ભારત/વિદેશ
માયાવતીએ ચૂંટણી સમયે જ પોતાના ભત્રીજાને ઉત્તરાધિકારી તરીકે કેમ હઠાવ્યા?
બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ મંગળવારે મોડી રાતે પોતાના ભત્રીજા અને પાર્ટીના નેશનલ કો-ઑર્ડિનેટર આકાશ આનંદને તેમના પદ પરથી હઠાવવાનું એલાન કર્યું.
અમિત શાહ: થોડીક પણ ભૂલ કરી તો રામ મંદિર પર બાબરી નામનું તાળું લાગી જશે
રાજકોટ બેઠક પર મતદાન યોજાઈ ગયા બાદ પરશોત્તમ રૂપાલાએ પત્રકારપરિષદ યોજીને ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માગી છે.
ગુજરાત : 'અમારાં બાળકો ઝાઝું નહીં જીવે એની જાણ હતી,' થેલેસેમિયામાં પુત્ર-પુત્રી ગુમાવનાર દંપતીની કહાણી
નવસારીની આસપાસ થેલેસેમિયાની બીમારીથી પીડાતાં 70 જેટલાં બાળકોના બ્લડ ટ્રાન્સફ્યૂઝન માટે લોહી એકત્ર કરવાનું કામ બિરલા દંપતી કરે છે. આ દંપતી પોતાનાં બે સંતાનો આ બીમારીને લીધે ગુમાવી ચૂક્યું છે. આજે એમનું જીવન કેટલાય દર્દીઓ માટે જિંદગીનો સહારો બન્યું છે.
જજ સાહેબ! પત્ની મિલકત નથી: બ્લૉગ
સ્ત્રી પત્ની હોવાથી તેની સાથે કોઈપણ રીતે બાંધેલા શારીરિક સંબંધ ખોટા ન હોઈ શકે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટે હાલમાં આપેલો એક નિર્ણય કંઈક આવી જ વાત માને છે.
ઇઝરાયલ ગાઝા યુદ્ધ : હમાસના કયા નિર્ણયે વધારી ઇઝરાયલી વડા પ્રધાનની મુશ્કેલીઓ
હમાસના યુદ્ધવિરામના એલાને મોટા ભાગના નિષ્ણાતોને અચંબામાં મૂકી દીધા છે. આની સાથે જ આવાનારા દિવસોમાં જે પણ કંઈ થઈ શકતું હતું, તેને લઈને ઇઝરાયલની આશાઓ પણ ખતમ થઈ ગઈ છે.
સપ્તપદી, કન્યાદાન કે મંગળસૂત્ર નહીં? હિંદુ કાયદા મુજબ માન્ય લગ્ન શું છે?
સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં પોતાના એક અવલોકનમાં કહ્યું હતું કે હિંદુ લગ્ન એ “સંસ્કાર” છે અને હિંદુ મૅરેજ ઍક્ટ 1955 હેઠળ સ્વીકૃતિ માટે તે “યોગ્ય સ્વરૂપમાં વિધિ અનુસાર કરવામાં આવે” તે જરૂરી છે.
રોહિત વેમુલાનાં માતાએ બીબીસીને કહ્યું, 'પોલીસ મારા દીકરાની જાતિ કેવી રીતે નક્કી કરી શકે?'
આત્મહત્યાનાં આઠ વર્ષ પછી ફરી એકવાર રોહિત વેમુલા ચર્ચામાં છે, કારણ કે તેલંગણા પોલીસે અદાલતને સોંપેલા ક્લોઝર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રોહિત વેમુલા દલિત ન હતા અને તેમની આત્મહત્યા માટે કોઈ દોષી નથી. આ મામલે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લીધે તેલંગાણા સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો છે. આ સંદર્ભમાં વાંચો રોહિતના માતાનું શું કહેવું છે?
કૅનેડામાં નિજ્જરની હત્યાના કેસમાં જેમની ધરપકડ થઈ એ ત્રણ ભારતીય યુવકો કોણ છે?
કૅનેડાની ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમે ત્રીજી મેના રોજ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની ઓળખ ભારતીય નાગરિકો કરણ બ્રાર, કરણપ્રીત સિંહ અને કમલપ્રીત સિંહ તરીકે થઈ છે.
મુંબઈમાં થયેલો એ પ્રચંડ વિસ્ફોટ, જેમાં 700થી વધુનાં મોત થયાં, ‘સોનાનો વરસાદ’ થયો
હિરોશિમા અને નાગાસાકી બૉમ્બ વિસ્ફોટ પહેલા,બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એપ્રિલ, 1944માં મુંબઈના વિક્ટોરિયા ડોકમાં એસ.એસ. ફોર્ટ સ્ટાયકિન જહાજમાં થયેલ વિસ્ફોટ સૌથી મોટો વિસ્ફોટ હતો. કેમ થયો તો તે વિસ્ફોટ, શું કારણ હતા, જાણો તેની સંપૂર્ણ માહિતી આ લેખમાં.